Chapter : નમાઝ
(Page : 153)
સવાલ :– અગર કોઈ પહેલી રકઅતમાં સજદએ તિલાવત કરવાનું ભૂલી જાય અને તેને બીજી રકઅતમાં યાદ આવે તો કરે કે નહિં ? અને જો સલામ ફેરવ્યા બાદ યાદ આવે તો શું કરે ?
જવાબ :– પહેલી રકઅતનો સજદએ તિલાવત બીજી રકઅતમાં યાદ આવે તો યાદ આવતાં બીજી રકઅતમાં કરવો પડશે અને મોડું થવાથી છેલ્લે સજદએ સહ્વ પણ કરવો પડશે અને સલામ ફેરવ્યા પછી સજદએ તિલાવત યાદ આવે તો હજુ સુધી મસ્જિદમાં જ હોય અને કોઈનાથી વાતચીત ન કરી હોય તો પણ કરવો ઝરૂરી છે અને આ સૂરતમાં પણ સજદએ સહ્વ કરવો જોઈએ. (શામી–૧/પ૦પ)
Log in or Register to save this content for later.