[૧૦૬] સજદહની આયત પહેલાં સજદહ કરી લીધો

Chapter : નમાઝ

(Page : 149-150-151)

સવાલ :– તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબ સૂરએ સાદની સજદએ તિલાવતની આયત પઢી રહ્યા હતા, સજદહની આયત ”કાલ લકદ ઝલમક” થી શરૂ થઈ ”વખર્ર રાકિઅંવ્વઅનાબ” ઉપર પૂરી થાય છે, પરંતુ હાફિઝ સાહેબે આયતની વચમાં ”વ કલીલુમ્માહુમ” ઉપર વકફે તામ કરી સજદએ તિલાવત કરી લીધો અને ત્યાર પછી  ઊભા થઈ સજદહની નિશાની સુધી આયત પૂરી પઢયા અને સજદએ તિલાવત ન કર્યો, તો શું આ સૂરતમાં નમાઝ સહીહ થઈ કે નહિ ? અને જો નમાઝ સહીહ થઈ હોય તો સજદએ તિલાવત છૂટી ગયો તે માટે શું હુકમ છે ?

જવાબ :– પૂછેલી સૂરતમાં સજદહની પૂરી આયત પઢતા પહેલાં જે સજદએ તિલાવત કરવામાં આવ્યો તે વધારાનો સજદહ છે અને મજકૂર વધારાનો સજદહ કરવાથી નમાઝના બીજા અરકાનમાં મોડું થયું, માટે જો મજકૂર વધારાનો સજદહ ભૂલથી થયો હોય તો તેના કારણે બીજા અરકાનમાં મોડું થવાથી સજદએ સહવ વાજિબ હતો, જેને ન કરવાથી નમાઝ અધૂરી અદા થઈ છે, માટે તે બે રકાત તરાવીહ દોહરાવવી વાજિબ છે અને તે બે રકાતમાં મજકૂર આયતે સજદહ પૂરી પઢીને સજદએ તિલાવત પણ કરી લે.                    (‘અહસનુલ ફતાવા ૪)

               અને પહેલાં પઢેલી બે રકાતોમાં સજદહથી ઊભા થઈને બાકી આયતે સજદહ પઢયા પછી સજદએ તિલાવત કરવો વાજિબ હતો, ઈરાદાપૂર્વક અથવા મસ્અલાથી નાવાકિફ હોવાના કારણે સજદએ તિલાવત છોડવાથી ગુનાહ લાગુ પડે છે, માટે સજદએ તિલાવત છોડવા બદલ તવબહ ઈસ્તિગફાર લાઝિમ છે.                   (‘શામી ૧/પ૧૮)

               અલબત્ત, જો પૂછેલી સૂરતમાં ઈમામ સાહેબ ”વ કલીલુમ્માહુમ” પઢી સજદહ કરી ઊભા થયા પછી આયત નં. રપ ”વ હુસ્ન મઆબ” સુધી પઢીને આગળ બે આયતોથી વધુ ન પઢયા હોય અને રુકૂઅ–સજદહ કરી લીધો હોય તો નમાઝના સજદહથી સજદએ તિલાવત પણ અદા થઈ ગયેલો ગણાશે, આ સૂરતમાં સજદએ તિલાવત છૂટેલો નહિ ગણાય. માટે આ સૂરતમાં સજદએ તિલાવત છોડવા બદલ તવબહ–ઈસ્તિગફાર નહિ કરવા પડે.                   (‘શામી ૧/પ૧૯)

               મજકૂર સૂરએ સાદના સજદએ તિલાવત બાબત આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, સૂરએ સાદમાં સજદહની આયત બાબત બે મંતવ્યો છે, એક આ કે સજદએ તિલાવત આયત નં. ર૪ ”વ  અનાબ” સુધી ખતમ કરી કરવો જોઈએ અને બીજું આ કે આયત નં. રપ ”વ હુસ્ન મઆબ” સુધી પઢી સજદએ તિલાવત કરવો જોઈએ અને આ બંને મંતવ્યોમાં બીજા મંતવ્ય મુજબ અમલ કરવો એ એહતિયાતવાળી અને રાજિહ વાત છે. અલ્લામહ શામી (રહ.) અને હઝરત મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.)એ બીજા મંતવ્ય મુજબ અમલ કરવા લખ્યું છે.                                 (‘અહસનુલ ફતાવા ૪/૬૮)

Log in or Register to save this content for later.