Chapter : નમાઝ
(Page : 148)
સવાલ :– અગર કોઈ માણસે ફર્ઝ નમાઝ પઢાવી અને આયતે સજદહની તિલાવત કરવા છતાં સજદએ તિલાવત કરવાનું ભૂલી ગયો તો કેટલી આયતો પઢી લીધા પછી સજદએ તિલાવત કરી શકે છે ?
જવાબ :– નમાઝની સલામ ફેરવતાં પહેલાં તો જયારે પણ સજદહ યાદ આવે, સજદએ તિલાવત કરી લેવો ઝરૂરી છે અને જો સલામ ફેરવ્યા બાદ સજદએ તિલાવત યાદ આવે અને હજુ સુધી કોઈનાથી વાતચીત વગેરે કોઈ નમાઝથી બહારનું કામ નથી કર્યું તો આવી સૂરતમાં સલામ ફેરવ્યા પછી પણ અલ્લાહુ અકબર કહીને સજદએ તિલાવત કરવો ઝરૂરી છે.
જો આયતે સજદહ પછી એક કે બે આયતો પઢીને સજદએ તિલાવત કરવામાં આવશે તો સજદએ સહવ વાજિબ નહિ થાય. અલબત્ત, જો બેથી વધુ આયતો પઢયા પછી સલામથી પહેલાં કે પછી સજદએ તિલાવત કરવામાં આવશે તો સજદએ સહવ કરવો પણ વાજિબ છે, કારણ કે સજદએ તિલાવતમાં મોડું થયું છે.
(‘શામી ૧/પ૧૭)
Log in or Register to save this content for later.