[૧૦૩] શાફઈ ઈમામ પાછળ સૂરએ ‘હજનો બીજો સજદહ

Chapter : નમાઝ

(Page : 147-148)

સવાલ :– કુર્આન શરીફના સત્તરમા પારામાં બીજો સજદહ જો હનફી કરે તો વાંધો આવશે ખરો ? શું શાફઈ ફિકહ મુજબ સત્તરમા પારામાં ફકત એક જ સજદહ છે ? અને શાફઈ ઈમામ પાછળ નમાઝ પઢનાર હનફીએ તે સજદહ કરવાનો શું હુકમ છે ?

જવાબ :– જો કોઈ હનફી સત્તરમા પારામાં સૂરએ ‘હજના બીજા સજદહની આયત નમાઝથી બહાર તિલાવત કરે અથવા હનફી શાફઈ ગમે તે વ્યકિતથી સાંભળે તો સજદએ તિલાવત વાજિબ થશે નહિ અને એ જ પ્રમાણે જો કોઈ હનફી એકલા અથવા ઈમામ હોવાની હાલતમાં તે આયત તિલાવત કરે તો પણ સજદહ વાજિબ થશે નહિ. જો મજકૂર સૂરતમાં વાજિબ ન હોવા છતાં નમાઝની હાલતમાં સજદએ તિલાવત કરશે તો ફિકહના કવાઈદ મુજબ નમાઝમાં સજદએ સહ્‌વ વાજિબ થશે.

               જો કોઈ હનફી શાફઈ ઈમામની ઈકિતદા કરતો હોય અને તે ઈમામ સૂરએ ‘હજનો બીજો સજદહ કરે તો તેની ઈકિતદામાં હોવાથી બીજો સજદહ હનફી મુકતદીએ પણ કરવો જોઈએ.

               ઈમામ શાફઈ (રહ.)ના ફિકહ મુજબ સત્તરમા પારામાં સૂરએ ‘હજમાં સજદહની બે આયતો અને બે સજદહ છે અને હનફી કિફહ મુજબ ફકત પહેલો સજદહ છે.   (‘શામી ૧/પ૧૩, ‘હિદાયહ અવ્વલૈન ૧૪૦)

Log in or Register to save this content for later.