[૧૦૦] ઉભા થયા પછી પહેલો કઅ્‌દહ કર્યો

Chapter : નમાઝ

(Page : 144-145)

સવાલ :– ઈશાની ચાર રકઅત ફર્ઝ નમાઝમાં ઈમામ સાહેબ બીજી રકઅતના સજદહ પછી બેસવાના બદલે તકબીર કહી ઉભા થઈ ગયા પાછળથી તરત જ લુકમો આપતાં ઈમામ સાહેબ પાછા કઅ્‌દહમાં બેસી ગયા અને છેલ્લે સજદએ સહવ કર્યો, તો આ સૂરતમાં નમાઝ દુરૂસ્ત થઈ કે નહિ?

જવાબઃ–  પૂછેલી સુરતમાં ઈમામે સજદએ સહવ કરી લેવાથી નમાઝ દુરૂસ્ત થઈ ગઈ છે. ફરીવાર નહિં પઢવી પડે, પરંતુ આવી સૂરતમાં જયારે કે ઈમામ સાહેબ પહેલો કઅ્‌દહ છોડી સીધા ઉભા થઈ ગયા તો મુકતદીએ બેસી જવા લુકમો ન આપવો જોઈતો હતો અને લુકમો આપવા છતાં ઈમામે બેસવું ન જોઈતું હતું અને લુકમાથી બેસી ગયા તો તુરત ઉભા થઈ જવું જોઈતું હતું, અને કઅ્‌દએ ઉલા છૂટવા બદલ સજદએ સહવ કરી લેવો જોઈતો હતો અને આવી સૂરતમાં ઈમામ સાહેબ ભલે કઅ્‌દહ તરફ પાછા ફરે મુકતદીઓએ બેસવું ન જોઈતું હતું. ઈમામ અને મુકતદીઓ ઉભા થઈને બેસવાથી ગુનેહગાર થયા છે.

(શામી–૧/પ૦૦)

Log in or Register to save this content for later.