[૧૦પ] નમાઝમાં સજદએ તિલાવતથી ઊભા થઈનેસૂરએ ફાતિહા પઢે તો

Chapter : નમાઝ

(Page : 149)

સવાલ :– અગર કોઈ માણસે ફર્ઝ નમાઝ પઢાવી અને સજદએ તિલાવત પછી ઊભા થઈને ભૂલથી સૂરએ ફાતિહા પઢી લીધી તો શું હુકમ છે? અને જો ઈરાદાપૂર્વક પઢે તો શું હુકમ છે? એવી જ રીતે સુન્નત–નફલ નમાઝમાં આ પ્રમાણે સૂરએ ફાતિહા પઢવાનો શું હુકમ છે ?

જવાબ :– પૂછેલી સૂરતોમાં ભૂલથી અથવા ઈરાદાપૂર્વક સૂરએ ફાતિહા પઢવાથી નમાઝમાં ફસાદ અથવા કરાહત કંઈ પણ નુકસાન નહિ થાય અને તેના પઢવાના કારણે સજદએ સહ્‌વ કરવો પણ વાજિબ નથી. ચાહે ફર્ઝ નમાઝ હોય કે સુન્નત – નફલ નમાઝ હોય, બધી નમાઝોનો એક જ હુકમ છે. અલબત્ત, જો જમાઅતની નમાઝમાં ઈરાદાપૂર્વક સૂરએ ફાતિહા ફરીવાર પઢવાથી કિરાઅત મિકદારે મસનૂનથી વધારે લાંબી થઈ જાય અને મુકતદીઓને તકલીફ થવાનો ભય હોય તો બીજીવાર સૂરએ ફાતિહા પઢવી મકરૂહ છે. એવી જ રીતે જો બીજીવાર ઈરાદાપૂર્વક ફાતિહા પઢવાથી બીજી રકઅતની કિરાઅત પહેલી રકઅતની કિરાઅતથી લાંબી થઈ જાય તો પણ ઈરાદાપૂર્વક સૂરએ ફાતિહા બીજીવાર પઢવી મકરૂહ છે.     (‘શામી ૧/૩૦૯)

Log in or Register to save this content for later.