[પ] વુઝૂ, ગુસલમાં દાંતોનું ચોકઠું

Chapter : તહારત

(Page : 46)

સવાલ :– અમારા સસરાબાજીએ મોટી ઉંમરના કારણે દાંત પડી જવાથી દાંતોનું ચોકઠું બેસાડયું છે, તો શું વુઝૂ કરતી વખતે તેને કાઢવું જરૂરી છે ?

જવાબ :– વુઝૂ કરતી વખતે મોઢામાંથી દાંતોનું ચોકઠું કાઢવું જરૂરી નથી, અલબત્ત મસનૂન તરીકા મુજબ કોગળા કરવા માટે તેને કાઢીને કોગળા કરવા અફઝલ છે. અને વાજિબ ગુસલમાં મોઢામાંથી ચોકઠું કાઢી નાખીને કોગળા કરવા જરૂરી છે. (‘શામી ૧)

Log in or Register to save this content for later.