Chapter : નમાઝ
(Page : 124-125)
સવાલ :– ઘણી નમાઝો કઝા થયેલ છે, હાલમાં તેને અદા કરવાની તાકત નથી તો એના માટે ફિદયો આપવાનો શું તરીકો છે ?
જવાબ :– કઝા થયેલ નમાઝો પછી એવો સમય પણ મળ્યો હોય કે જો કઝા કરવા ચાહત તો કરી શકત, પરંતુ સુસ્તીના લઈ કઝા કરવામાં ન આવી અને હાલ એટલી કમઝોરી હોય કે પથારીમાં સુતા સુતા રૂકુઅ– સજદહના ઈશારાથી પણ કઝા નમાઝ ન પઢી શકાતી હોય તો આવી નમાઝોની કઝા કરવા માટે ઝિંદગીની આખરી ઘડી સુધી રાહ જોવી પડશે, જ્યારે પણ કઝા નમાઝ પઢવાની તાકત આવે, ચાહે તે તાકત માત્ર ઈશારાથી નમાઝ પઢવાની હોય, ત્યારે કઝા નમાઝો પઢવી ઝરૂરી છે, જો ઝિંદગીની આખરી ઘડી સુધી પણ ઈશારાથી નમાઝ પઢવા શકિતમાન ન બન્યો અથવા શકિતમાન તો બન્યો, પરંતુ ન પઢી શક્યો તો આ સૂરતમાં હવે છેલ્લી ઉમરમાં કઝા નમાઝના ફિદયાની પોતાના વારસદારોને વસિય્યત કરી દે. વારસદારો તેણે વારસાલાયક છોડેલા માલના ત્રીજા ભાગમાંથી કઝા નમાઝોનો ફિદયો આપશે. દરેક ફર્ઝ અને વિત્ર–વાજિબ દીઠ એક માણસના સદકએ ફિત્રના પ્રમાણમાં અનાજ એટલે લગભગ પોણા બે કિલો ઘઉં અથવા તેની કિંમત ગરીબોને આપશે. (શામી : ૪૯૧/૧)
Log in or Register to save this content for later.