[૭૬] ઝોહરની સુન્નત પહેલાં ફજરની કઝા

Chapter : નમાઝ

(Page : 123)

સવાલ :– ઝોહરની અઝાન પહેલાં હું બે રકઆત તહિય્યતુલ્‌ વુઝૂ, તહિય્યતુલ્‌ મસ્જિદ તેમજ બે રકઆત ફજરની ફર્ઝની કઝા પઢું છું અને સાથે અમુક નફલો પણ પઢું છું, પરંતુ આજે અઝાન થઈ ગઈ છે અને ઝોહરની ચાર સુન્નત પણ પઢી છે તો હવે ફજરની નમાઝની કઝા થઈ શકે ?

જવાબ :– ઝોહરની અઝાન પછી ઝોહરની ચાર રકઆત સુન્નત પઢયા પછી ફજરની બે રકઆત ફર્ઝની કઝા પઢી શકાય છે, પરંતુ જો સાહિબે તરતીબ હોય એટલે કે ફજરની ફર્ઝ નમાઝ સિવાય બીજી કોઈ ફર્ઝ નમાઝની કઝા પોતાના ઝિમ્મે બાકી ન હોય અથવા બાકી હોય, પરંતુ છ થી ઓછી હોય તો ઝોહરની અઝાન પહેલાં અથવા પછી સર્વપ્રથમ ફજરની કઝા પઢવી ઝરૂરી છે તે પછી ઝોહરની સુન્નત અને ફર્ઝ નમાઝ પઢવામાં આવે.                       (શામી : ૧/૪૮૯)

Log in or Register to save this content for later.