[૭૪] કઝા નમાઝોથી સુન્નત–નફલનો સવાબ

Chapter : નમાઝ

(Page : 121-122)

સવાલ :– તહજ્‌જુદ, ઈશરાક, ચાશ્ત, અવ્વાબીન, તહિય્યતુલ્‌ મસ્જિદ, તહિય્યતુલ્‌ વુઝૂ તેમજ ફર્ઝ નમાઝોની આગળ પાછળ જેટલી સુન્નતે ગેર મુઅક્‌કદહ અને નફલ નમાઝો છે, તેની જગ્યાએ કઝાએ ઉમરી નમાઝ પઢવાથી મજકૂર બધી નમાઝોનો સવાબ પણ મળશે કે નહિ ? અને બીજાઓને આ પ્રમાણે તરગીબ આપવી કેવી છે ?

જવાબ :– તહિય્યતુલ્‌ મસ્જિદ તથા તહિય્યતુલ્‌ વુઝૂની બે રકઆત નફલ નમાઝની જગ્યાએ કઝા નમાઝો પઢવામાં આવે અને તેમાં તહિય્યતુલ્‌ મસ્જિદ તથા વુઝૂનો સવાબ મળવાની નિય્યત કરવામાં આવે તો કઝા નમાઝો પઢવાથી તે નફલ નમાઝોનો સવાબ પણ મળશે અને એ જ પ્રમાણે તહજ્‌જુદની નમાઝમાં પણ ગુંજાઈશ છે, પરંતુ તહજ્‌જુદ વખતે કમથી કમ બે રકઆત માત્ર તહજ્‌જુદની નિય્યતથી પઢી લેવી જોઈએ અને જે માણસના ઝિમ્મે ફર્ઝ કઝા નમાઝો બાકી હોય તેને ઉપર મુજબ તરગીબ આપી શકાય છે.

               ફર્ઝ નમાઝોની આગળ પાછળની ગેરમુઅક્‌કદહ સુન્નતો, ઈશ્રાક, ચાશ્ત અને અવ્વાબીનની નમાઝની જગ્યાએ કઝા નમાઝો       પઢવાથી મજકૂર નફલ નમાઝોનો સવાબ નહિ મળે. ફુકહાએ કિરામ (રહ.)ની કિતાબોમાં આ વિષે કરેલી ચર્ચાથી એ જ સાબિત થાય છે.

(શામી ૧/૪પર/૪પ૬/૪પ૮/૪૬૦/૪૯૩)

Log in or Register to save this content for later.