[૭૦] અસરની કઝા મગરિબથી પહેલાં કે પછી ?

Chapter : નમાઝ

(Page : 118-119)

સવાલ :– મારી અસરની નમાઝ છૂટી ગઈ અને અસરનો વખત પૂરો થઈ ગયો, તો હવે મારે કયા વખતે અસરની નમાઝ પઢવી જોઈએ અને મગરિબની નમાઝ પછી અસરની કઝાની નિય્યતથી પઢું તો અસરની કઝા ગણાશે કે નહિ ?

જવાબ :– જો તમો સાહિબે તરતીબ હોય એટલે કે છ અથવા છ (૬)થી વધુ ફર્ઝ નમાઝો તમારી ઉપર કઝા કરવાની બાકી ન હોય અને માત્ર આ એક જ નમાઝની કઝા બાકી હોય તો ગુરુબે આફતાબ પછી પ્રથમ તમારે અસરની કઝા નમાઝ પઢવી ઝરૂરી છે, ભલે અસરની કઝા પઢવામાં મગરિબની જમાઅત છૂટી જાય તો પણ પ્રથમ અસરની કઝા નમાઝ પઢવી જ ઝરૂરી છે અને અસરની કઝા નમાઝ પઢીને મગરિબની નમાઝ પઢવાની રહેશે અને જો તમો સાહિબે તરતીબ ન હોય તો મગરિબની નમાઝ અદા કરીને પણ અસરની કઝા પઢવી જાઈઝ છે.                                                    (‘શામી ૧)

Log in or Register to save this content for later.