Chapter : નમાઝ
(Page : 119-120)
સવાલ :– મારી વાલિદાનો ઈન્તિકાલ થઈ ગયો છે, તેમની આશરે ચાર માસની નમાઝો છૂટી ગઈ છે, તો તેઓની છૂટેલી નમાઝોનો ફિદયો મારી સગી બે બહેનોને આપી શકું છું કે જેમની આર્થિક હાલત નબળી છે, એક બહેનના માથે મકાન બનાવવાનું દસ હજાર રૂપિયા કર્ઝ છે અને બીજી બહેન મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને આ નાણા હું મારા તરફથી આપવાનો છું, કારણ કે મારી માની મિલકત કંઈ જ નથી, તો આ ફિદયો હું બહેનોને આપી શકું ?
જવાબ :– ચાહે તમારી બહેનો ગરીબ હોવાના કારણે ઝકાત, સદકહ અને ફિયદો લેવાની હકદાર હોય, પરંતુ મજકૂર ફિયદો તમારી વાલિદાની નમાઝોનો છે અને ઝકાત તથા સદકએ ફિત્રની જેમ પોતાની નમાઝોનો ફિદયો પોતાની અવલાદને આપવો જાઈઝ નથી, માટે મજકૂર ફિદયો તમારી બહેનોને આપવો દુરુસ્ત નથી. (‘શામી ર/પ૮)
Log in or Register to save this content for later.