[૬૮] ઈમામ તરાવીહમાં બે રકઅતને બદલે ત્રણ કે ચાર રકઆત પઢાવે

Chapter : નમાઝ

(Page : 115-116)

સવાલઃ– આપણે તરાવીહની નમાઝ પઢાવતા હોય અને બે રકઆત પર ન બેસી ત્રીજી રકઅત પઢાવી ત્રીજી રકઅતમાં બેસી ગયા સજદએ સહવ ન કર્યો, સલામ ફેરવ્યા પછી ખબર પડી કે ત્રણ રકઆત થઈ તો શું કરવું? નમાઝ ફરી દોહરાવવી પઢશે? કુર્આન દોહરવવું પડશે ? અને જો આપણી બે રકઆત ગણાઈ જતી હોય તો ત્રીજી રકઅતનું શું? અથવા ચાર રકઆત સાથે પઢી લીધી, તરાવીહની ચાર રકઆતમાં વચલો કઅદહ કર્યો નહિં તો હવે શું કરવું ? ચાર રકઆત ગણાઈ જશે? કુર્આન દોહરાવવું પડશે કે પછી પઢેલું સહીહ ગણાશે ?

જવાબ :– જયારે ઈમામ તરાવીહમાં બીજી રકઅત પછી બેસ્યા વગર ભૂલથી ત્રીજી રકઅત પઢી લે તો તે નમાઝ ફાસિદ થઈ જશે અને તરાવીહની તે બે રકઆત ફરી પઢવી વાજિબ છે અને તે ફાસિદ નમાઝમાં પઢેલી કિરાઅત ફરી લોટાવી લેવી જોઈએ.

(આલમગીરી–૧/૧૧૩/૧૧૮)

               જો તરાવીહની ચાર રકઆત બીજી રકઅત પછી કઅદહમાં બેસીને એક સલામથી પઢી તો તરાવીહની ચાર રકઆત દુરૂસ્ત અને મોઅતબર ગણાશે અને જો બીજી રકઅત પછી કઅદહમાં બેસ્યા વગર ચાર રકઅત પઢી તો પાછલી બે રકઆત તરાવીહની ગણાશે, પરંતુ આ સૂરતમાં સજદએ સહવ કરવો વાજિબ છે, જો સજદએ સહવ નહિં કરે તો પાછલી બે રકઆત અને તેમાં પઢેલી કિરાઅત લોટાવવી પડશે અને પહેલી બે રકઆત પણ તેમાં પઢેલી કિરાઅત સાથે લોટાવવી પડશે.

(બહર – ર/૬૭)

Log in or Register to save this content for later.