[૬૩] તરાવીહમાં રુકૂઅ સુધી બેસી રહેવું

Chapter : નમાઝ

(Page : 109)

સવાલ :– તરાવીહમાં ઘણા મુસલ્લીઓ ઈમામ સાહેબના રુકૂઅમાં જતાં સુધી પાછળ બેસી રહે છે, જયારે ઈમામ રુકૂઅમાં જાય ત્યારે જલદી જલદી રુકૂઅમાં શામિલ થઈ જાય છે, તો શું આ પ્રમાણે કુર્આન પૂરું સાંભળવાનો સવાબ મળશે ? થોડું પણ છૂટી જાય તો શું હુકમ છે?

જવાબ :– આ પ્રમાણે બેસી રહેવું, સુસ્તી કરવી મકરૂહ છે અને આવી હરકતને કુર્આન કરીમમાં મુનાફિકોની આદત બતાવવામાં આવી છે, સૂરએ નિસાઅમાં છે કે મુનાફિકો જયારે નમાઝ માટે ઊભા થાય છે તો સુસ્તી સાથે ઊભા થાય છે. (સૂરએ નિસાઅ–૧૪ર) નમાઝમાં શરીક થવાનો હુકમ તો આ પ્રમાણે છે કે ઈમામ કિયામ, રુકૂઅ, કવમહ સજદહ, જલ્સહ, કઅ્‌દહ જે હાલતમાં હોય તે હાલતમાં મોડું કર્યા વગર શરીક થઈ જવું જોઈએ. બીજી હાલતની રાહ ન જોવી જોઈએ અને આવું કરવાથી પૂરું કુર્આન શરીફ તરાવીહમાં સાંભળવાની સુન્નત પણ છૂટી જાય છે, માટે આવી મુનાફિક જેવી હરકત કરવાથી બચવાની અને સુન્નતની હિફાઝત કરવાની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. (શામી–૧)

Log in or Register to save this content for later.