Chapter : નમાઝ
(Page : 84)
સવાલ :– તરાવીહની જમાઅત મોટી ઉંમરની ઔરતો, બાલિગ, નાબાલિગ છોકરીઓ–છોકરાઓમાં, કાકીઓ–ફોયો–દાદીઓ વગેરે પોતાના ઘરના એક રૂમમાં કરી શકે છે ?
જવાબ :– તરાવીહની જમાઅતમાં પણ ઔરતને ઈમામ બનાવી જમાઅત કરવી જાઈઝ નથી. અલબત્ત સવાલમાં લખવા મુજબ ઘરની રિશ્તેદાર ઔરતો ભેગી થાય અને કોઈ એવા બાલિગ છોકરાને ઈમામ બનાવે જે છોકરો ભેગી થયેલી ઔરતોમાંથી કોઈ ઔરતનો મહરમ હોય (એટલે કે એવો રિશ્તેદાર હોય કે જેનાથી કદી શાદી ન થઈ શકે) તો આ સૂરતમાં જમાઅતથી તરાવીહ પઢવી વિના કરાહતે જાઈઝ છે., ઔરતોએ જમાઅતથી તરાવીહ પઢવા માટે પોતાના ઘરેથી નીકળી તરાવીહની જમાઅત થતી હોય તેવા ઘરે જવું મકરૂહ છે. (‘શામી ૧/૩૮૦)
Log in or Register to save this content for later.