Chapter : નમાઝ
(Page : 105)
સવાલ :– તરાવીહમાં અમુક લોકો તરાવીહ થાય ત્યારે પાછળ બેસી રહે છે અને ઈમામ સાહેબ રુકૂઅમાં જાય ત્યારે જલદી ઊભા થઈ શરીક થાય છે, આ શરીઅતની રૂએ કેવું છે?
(હનીફ ઈબ્રાહીમ મીસરી, મુ.પોઃ શેરપુરા, જિઃ ભરૂચ)
જવાબ :– નમાઝમાં આ પ્રમાણે આળસ કરવું જાઈઝ નથી. આવી ટેવ કુર્આન કરીમમાં મુનાફિકોની બયાન કરવામાં આવી છે કે
”વઈઝા કામૂ ઈલસ્સલાતિ કામૂ કુસાલા”
કે જયારે નમાઝ માટે ઉભા થાય છે તો સુસ્તી સાથે ઊભા થાય છે. (સૂરએ નિસાઅ – ૧૪ર)
Log in or Register to save this content for later.