Chapter : નમાઝ
(Page : 104)
સવાલ :– રમઝાન મહિનામાં તરાવીહની નમાઝ પઢવામાં આવે છે. તેમાં દર ચાર રકઆત પછી ઈમામ સાહેબ દુઆ પઢે છે, જેમાં કેટલાક મુક્તદીઓ પણ શામિલ થાય છે, કેટલીક મસ્જિદોમાં આવી રીતે સામૂહિક દુઆ માંગવામાં આવે છે, તો કેટલીક મસ્જિદોમાં વ્યકિતગત દુઆ માંગવામાં આવે છે, આમ તોર પર આ દુઆ ”સુબ્હાન ઝિલ્મુલ્કિ વલ્ મલકૂત……. અલ્લાહુમ્મ અજિરના મિનન્નાર” પઢવામાં આવે છે કેટલીક મસ્જિદોમાં આ દુઆ મોટા અક્ષરે લખાવીને રાખવામાં આવે છે, તો ખરેખર આ રીતે પઢવું જાઈઝ છે? ખરેખર શરીઅતમાં ચાર રકઆત પછી શું પઢવાનું છે? તે અંગે જરૂરી ખુલાસો આપશો.
જવાબ :– તરાવીહની દર ચાર રકઆત પછી બેસવું મુસ્તહબ છે અને દરમ્યાન દરેક નમાઝીને ઈખ્તિયાર છે ચાહે તો ચૂપ બેસી રહે, ચાહે તો કુર્આન પઢે, ચાહે તો ઝિક્ર અથવા દુઆ કરે. તેના માટે કોઈ ખાસ વસ્તુ લાઝિમ નથી, અલબત્ત મજકૂર (સદરહુ) મશ્હૂર તસ્બીહ પોતપોતે આહિસ્તા પઢવી બેહતર છે, અમુક કિતાબોમાં મજકૂર તસ્બીહ ત્રણવાર પઢવાનું વર્ણન છે, બાકી સામૂહિક તસ્બીહ પઢવી અથવા સામૂહિક દુઆ માંગવાનો કોઈ સબૂત નથી. (તહતાવી– રર૬, કબીરી–૪૦૪, શામી–૧/૪૭૪)
Log in or Register to save this content for later.