[પ૬] તરાવીહની દરેક રકઅતમાં કિરાઅતની મિકદાર

Chapter : નમાઝ

(Page : 102-103)

સવાલ :– તરાવીહની નમાઝમાં પહેલી બે અથવા ચાર રકઆતમાં બે પારા પઢે અને બાકીની અઢાર અથવા સોળ રકઆતમાં સૂરએ ફીલથી અથવા ત્રણ ચાર આયત દરેક રકઅતમાં પઢવું જાઈઝ છે કે નહિ?

જવાબ :– સવાલમાં લખવા મુજબના તરીકાથી તરાવીહની રકઆતમાં કિરાઅત કરવી જાઈઝ તો છે પરંતુ હઝરત ઈમામ અબૂ હનીફા (રહ.)થી મનકૂલ છે કે તરાવીહની દરેક રકઅતમાં દસ આયતો પઢવામાં આવે અને પહેલી બે કે ચાર રકઆતમાં પૂરા બે પારા પઢવાથી બધા મુકતદીઓ બોજ અનુભવશે અને ઘરડા અને બીમાર માણસોને તકલીફ થશે. લાંબી કિરાઅતથી મુકતદીઓને તકલીફ પહોંચાડવી ઈમામ માટે મકરૂહ છે, માટે બધી રકઆતમાં ઉપર મુજબ સરખા પ્રમાણમાં કિરાઅત કરવી એ જ મુનાસિબ અને અફઝલ છે.

               કાઝીખાને બહર અને શર્હે મુન્યહમાં તફસીલથી આ બાબત દર્શાવી છે.   (શામી–૧/૪૭પ, શર્હે મુન્યહ – ૪૦૬)

Log in or Register to save this content for later.