[પ૧] તરાવીહ અને વિત્ર દરમિયાન તાલીમ

Chapter : નમાઝ

(Page : 95-96)

સવાલ :– ઈમામ સાહેબ વીસ રકઆત તરાવીહ પછી દુઆ અને વિત્ર પહેલાં તાલીમ કરવા ઉભા થઈ જાય છે અને કિતાબી તાલીમ પછી દુઆ કરાવે છે અને પછી વિત્રની નમાઝ પઢાવે છે તો આ પ્રમાણે તરાવીહ અને વિત્રની નમાઝ દરમ્યાન તાલીમ કરવી સહીહ છે કે ગલત ?

જવાબ :– અગર વિત્રની નમાઝથી પહેલાં થોડીવાર તાલીમ કરવાના કારણે નમાઝીઓને ગભરામણ અને તકલીફ થતી હોય તો તે વખતે તાલીમ ન કરવામાં આવે, બલકે વિત્ર અને નફલ નમાઝથી ફારિગ થયા પછી તાલીમ કરવી જોઈએ, જેને તાલીમ સાંભળવાનો અને દીનની જાણકારી મેળવવાનો ઉત્સાહ અને રગબત હશે તે બેસશે અને જે કોઈને ઉઝર હશે તે જઈ શકશે, બાકી તાલીમ બિલકુલ બંધ પણ ન કરવી જોઈએ, તા કે લોકોને દીનની જાણકારી મળતી રહે અને જહાલત દૂર થતી રહે.

(આલમગીરી ભા. ૧/૧૧પ–મહમૂદિય્યહ, ભા. ૧૦/ર૬૭)

Log in or Register to save this content for later.