[પપ] તરાવીહની ર૦ રકઆત

Chapter : નમાઝ

(Page : 102)

સવાલ :– હઝરત ઉમર (રદિ.)એ તરાવીહની કેટલી રકઅતો પઢી હતી, કિતાબના હવાલા સાથે જણાવશો.

જવાબ :– હઝરત ઉમર (રદિ.)ના સમયમાં તરાવીહની ર૦ રકઆતો પઢાતી હતી, આ હદીષ સુનને બયહકીમાં છે. (ઈઅલાઉસ્સુનન–૭/૬૯)

               હઝરત ઉમર (રદિ.) એ એક માણસને હુકમ આપ્યો હતો કે તે લોકોને વીસ રકઆત તરાવીહની નમાઝ પઢાવે.

  (મુસન્નફે અબૂ બક્ર બિન શયબહ (રહ.)

Log in or Register to save this content for later.