Chapter : નવાફિલ
(Page : 77)
સવાલ :– નફલ નમાઝમાં વધુમાં વધુ કેટલી નિય્યતો કરી શકાય ? દા.ત. મગરિબની સુન્નત પછીની બે રકઆત નફલમાં અવ્વાબીનની કે સલાતુલ હાજત કે બીજી કોઈ નફલ નમાઝની એટલે કે એક જ નમાઝમાં વધુ નમાઝોની નિય્યત કરી શકાય?
જવાબ :– મગરિબ પછીની બે સુન્નતો અને નફલોને અવ્વાબીનની છ રકઅતોમાં ઘણી શકાય છે. પરંતુ સુન્નતમાં સલાતુલ હાજતની નિય્યત કરવી દુરૂસ્ત નથી. સલાતુલ હાજત મુસ્તકીલ (અલગ) મુસ્તહબ નમાઝ છે. તેની બીજી નફલ નમાઝમાં નિય્યત કરવી બરાબર નથી, અલબત્ત તહિય્યતુલ્ વુઝૂ અને તહિય્યતુલ્ મસ્જિદની નિય્યત બીજી કોઈ સુન્નત કે નફલ નમાઝમાં કરવી અથવા બન્નેની નિય્યતથી બે રકઅત નફલ પઢવી એ દુરૂસ્ત છે. (શામી – ૧)
Log in or Register to save this content for later.