[૩પ] તરાવીહની જેમ સૂરએ નાસ પછી શરૂથી પઢવું

Chapter : નવાફિલ

(Page : 77-78)

સવાલ :– તરાવીહમાં (કુર્આન ખ્વાની) ઓગણીસમી રકઅતમાં સૂરએ ફાતિહા પછી સૂરએ ફલક અને સૂરએ નાસ પઢીને રકઅત પૂરી કરે છે. અને ત્યારબાદ વીસમી રકઅતમાં સૂરએ ફાતિહા પછી અલિફ – લામ પઢી રકઅત પૂરી કરે છે, તો સૂરએ નાસ પહેલી કે ત્રીજી રકઅતમાં પઢયા બાદ બીજી કે ચોથી રકઅતમાં સૂરએ નાસ જ પઢવી જોઈએ ? ઉપર મુજબ પઢવાથી કોઈ કરાહત આવે કે કેમ?

જવાબ :– જે માણસ તરતીબથી નમાઝમાં કુર્આન ખતમ કર્યા વગર ફર્ઝ, સુન્નત કે નફલ નમાઝમાં પહેલી રકઅતમાં કે ત્રીજી રકઅતમાં સૂરએ નાસ પઢે તો હવે તેને બીજી અથવા ચોથી રકઅતમાં સૂરએ ફાતિહા પછી સૂરએ નાસ જ પઢવી જોઈએ. બીજી કોઈ સૂરત પઢવી  મકરૂહ છે, કારણ કે નમાઝો ની રકઅતોમાં ઉલટી તરતીબથી કુર્આન મજીદ પઢવું મકરૂહ છે. અલબત્ત,  જે માણસ તરાવીહ અથવા બીજી કોઈ નમાઝમાં કુર્આન શરીફ પહેલેથી શરૂ કરે અને તરતીબથી પઢી નમાઝમાં જ ખતમ કરે તો તેના માટે અફઝલ છે કે પહેલી અથવા ત્રીજી રકઅતમાં સૂરએ નાસ સૂધી  પઢી કુર્આન ખતમ કરે. અને બીજી અથવા ચોથી રકઅતમાં સૂરએ ફાતિહા પછી સૂરએ બકરહ પઢી બીજીવાર કુર્આન પઢવાનું શરૂ કરે. હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.)નું ફરમાન છે કે (કુર્આન પઢનાર) લોકોમાં સૌથી બેહતર તે છે જે કુર્આન ખતમ કરી ફરીથી શરૂ કરે.      (શામી – ૧/૩૬૭)

Log in or Register to save this content for later.