Chapter :
(Page : )
સવાલ :– ફજરની જમાઅતની છેલ્લી રકઅત હોય તો ફજરની સુન્નત છોડી દઈ જમાઅતમાં શામિલ થઈ જવા સાહિબે ઈલ્મથી જાણેલ છે તો પછી ફજરની નમાઝ બાદ છૂટી ગયેલ સુન્નત પઢવા ઉપર મનાઈ કેમ છે? સૂરજ તુલૂઅ થતાં પહેલાં આ સુન્નત પઢવામાં શું વાંધો છે કે જેથી સુન્નત કઝા થાય? પરંતુ અહિં તો ફજરની નમાઝ બાદ વખત ઉપર પઢવાની વાત છે, માટે આ બાબત શરઈ હુકમ શું છે ?
જવાબ :– ફજરની સુન્નતનો અસલ વખત ફર્ઝ પહેલાં છે અને ફજરની ફર્ઝ નમાઝ પઢી ફારિગ થયા બાદ કોઈ પણ સુન્નત કે નફલ નમાઝ પઢવી મકરૂહ છે અને મજકૂર મકરૂહ વખતમાંથી ફજરની સુન્નતો પણ બાકાત નથી અને સુન્નતની અદાયગી કરતાં મકરૂહથી બચવું યોગ્ય છે. (શામી–૧)
(page number 63)
Log in or Register to save this content for later.