Chapter :
(Page : )
સવાલ :– અગર કોઈ માણસે નફલની ચાર રકઆતની નિય્યત કરી નમાઝ શરૂ કરી, પહેલા કઅ્દહમાં બેસી અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ પઢવાનું શરૂ કરી દીધું અને અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ ઉપર પહોંચી યાદ આવ્યું તો હવે શું કરે? અને આથી વધારે દુરૂદ શરીફ પઢયા પછી યાદ આવે તો શું કરે ?
જવાબ :– સુન્નતે ગેરમુઅક્કદહ અથવા નફલ નમાઝની ચાર રકઆતના પહેલા કઅ્દહમાં થોડું અથવા પૂરું દુરૂદ શરીફ પઢવાથી સજદએ સહવ વાજિબ નહિ થાય અને નમાઝમાં કોઈ નુકસાન નહિ આવે, કારણકે ચાર રકઆતવાળી સુન્નતે ગેરમુઅક્કદહ અને નફલ નમાઝના પહેલા કઅ્દહમાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ અને દુઆ પઢવા–ન પઢવાનો નમાઝીને ઈખ્તિયાર છે, પઢવા ચાહે તો પઢી શકે છે અને ચાહે તો છોડી પણ શકે છે; બલ્કે સાહિબે દુર્રે મુખ્તાર, અલ્લામહ શામી અને સાહિબે મિનહ (રહ.)એ તો મજકૂર નમાઝમાં દુરૂદ શરીફ પઢવાને પસંદ ફરમાવ્યું છે. જો કે ફિકહની અમુક કિતાબો જેમ કે, ‘કુન્યહ, ‘શર્હે મુન્યહ કબીર અને ‘ઉમ્દતુલ ફિકહમાં મજકૂર પ્રકારની નમાઝના પહેલા કઅ્દહમાં પણ ફર્ઝ, વાજિબ અને સુન્નતે મુઅક્કદહ નમાઝોની જેમ અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ ન પઢવાને અને ફકત અત્તહિય્યાત પઢી ત્રીજી રકઅત માટે ઊભા થઈ જવાને અફઝલ, બેહતર અને સહીહ ઠરાવ્યું છે. (‘શામી ૧, ‘કબીરી ૩૩ર, ‘ઉમ્દતુલ ફિકહ ર)
(page number 55)
Log in or Register to save this content for later.