Chapter :
(Page : )
સવાલ :– શબે કદ્રમાં અમો છ માણસોએ નફલ નમાઝ જમાઅત સાથે સહનમાં પઢવાનું ચાલું કર્યું. જમાઅત જોઈને એક પછી એક માણસો જોડાતા ગયા અને લગભગ પ૦ માણસોની જમાઅત થઈ ગઈ. નમાઝ થઈ ગયા પછી માણસો ચર્ચા કરવા લાગ્યા કે નફલ નમાઝ જમાઅતથી થતી નથી, અને જે પઢી તે પણ રદ થઈ તો શું નફલ નમાઝ જમાઅતથી પઢી શકાય કે નહિ ? અને જમાઅતથી પઢેલી નફલ નમાઝ અદા થઈ કે નહિ ?
જવાબ :– ઈમામ સહિત બે અથવા ત્રણ માણસોએ મળી નફલ નમાઝ જમાઅત સાથે પઢવી વિના કરાહતે જાઈઝ છે. ઈમામ સહિત ચાર માણસોએ મળી નફલ નમાઝ જમાઅત સાથે પઢવાના મકરૂહ હોવામાં ઉલમાએ કિરામનો ઈખ્તિલાફ છે અને પાંચ અથવા પાંચથી વધુ માણસોએ ભેગા મળી નફલ નમાઝ જમાઅત સાથે પઢવી મકરૂહે તહરીમી છે. આ સૂરતમાં પઢેલી નફલ નમાઝ કરાહતે તહરીમી સાથે નાકિસ (અધૂરી) અદા થશે અને જમાઅતનો સવાબ નહિં મળે.
જો બે, ત્રણ અથવા ચાર માણસોએ મળી નફલ નમાઝ જમાઅત સાથે પઢવાનું શરૂ કર્યું અને પાછળથી ચારથી વધુ માણસો પણ તે જમાઅતમાં જોડાયા તો ફકત પાછળથી જમાઅતમાં શામિલ થનારાઓની નમાઝ જ મકરૂહ થશે, જમાઅત શરૂ કરનારાઓની નમાઝ મકરૂહ નહિં થાય. (‘શામી ૧/૪૭૬, ‘તહતાવી અલલ મરાકી ૧પ૬, ‘તહતાવી ૧/ર૪૦)
(page number 57-58 )
Log in or Register to save this content for later.