[ર૭] કઝા નમાઝ સાથે નફલની નિય્યત

Chapter :

(Page : )

સવાલ :– એક માણસના ઝિમ્મે ઘણી કઝા નમાઝો બાકી છે તો શું તે નફલ નમાઝો પઢી શકે છે ? અગર પઢે તો સવાબ મળશે ? એક આલિમને પૂછયું તો તેમણે કહયું કે નવાફિલનો સવાબ નહિ મળે, બલ્કે નવાફિલના ટાઈમોમાં કઝા નમાઝો પઢે, સાથે નફલની નિય્યત પણ કરી લે તો એટલી કઝા ઝિમ્મેથી ઉતરશે અને નફલનો પણ સવાબ મળશે તો આપ આની સહીહ હકીકત જણાવશો.

જવાબ :– પોતાના શિરે કઝા નમાઝો હોવા છતાં નવાફિલ પઢી શકાય છે અને તેનો સવાબ પણ મળશે અને ફર્ઝ નમાઝોની આગળ પાછળની સુન્નતો અને બીજી એવી નફલ અને સુન્નત નમાઝો જેની અહાદીસમાં ફઝીલત આવેલી છે, જેમ કે ચાશ્ત–ઈશ્‍રાકની નમાઝ, સલાતુત્તસ્બીહ વિ. તેવી સુન્નત, નફલ નમાઝો ન છોડવી જોઈએ. અલબત્ત, તે સિવાય નફલ નમાઝ પઢવા કરતાં ફર્ઝ કઝા–નમાઝો પઢવી વધુ બેહતર છે અને એક સાથે ફર્ઝની કઝા અને નફલની નિય્યત કરવી દુરુસ્ત નથી. જો એ પ્રમાણે નિય્યત કરવામાં આવશે તો ઈમામ અબૂ યૂસુફ (રહ.) ફરમાવે છે કે ફર્ઝ નમાઝ અદા થશે અને ઈમામ મુહમ્મદ (રહ.) ફરમાવે છે કે કોઈ એક પણ નમાઝ દુરુસ્ત નહિ થાય, માટે કઝા નમાઝો સાથે નફલની નિય્યત ન કરવામાં આવે.                                     (શામી, ભાગ–૧, કબીરી: ર૪૯)                                            (page number 69-70)

Log in or Register to save this content for later.