Chapter :
(Page : )
સવાલ :– ફજરની બે રકઆત સુન્નતની કઝા પઢવી કે નહિં ? પઢાતી હોય તો ક્યાં સુધી ? સવારમાં પઢી શકાય કે નહિં ? જવાબ :– જો ફકત બે રકઆત સુન્નત છૂટી ગઈ હોય તો તુલૂએ આફતાબ પછી ૧પ મિનીટથી લઈ ઝવાલથી પહેલાં પહેલાં સુધી ફજરની સુન્નતની કઝા પઢી શકાય છે અને જો ફજરની ફર્ઝ નમાઝ પણ છૂટી ગઈ હોય તો પણ એ જ પ્રમાણે સુન્નતની કઝા તે દિવસના તુલૂએ આફતાબથી લઈ ઝવાલથી પહેલાં પહેલાં સુધી ફર્ઝની કઝા સાથે પઢી લેવી જોઈએ અને ઝવાલે આફતાબ થઈ ગયા બાદ ફકત ફર્ઝની કઝા પઢવી જોઈએ. સુન્નતની કઝા ન થઈ શકે. જો પઢવામાં આવશે તો નફલનો સવાબ મળશે. સુન્નત અદા નહિં થાય. (દુ. મુખ્તાર, શામી: ૧/૪૮ર)
(page number 63-64)
Log in or Register to save this content for later.