Chapter :
(Page : )
સવાલ :– હમારા મર્હૂમ મુફતીએ એક કિતાબ લખી છે, જેમાં એક વાક્ય (ઈબારત) આ પ્રમાણે છે : ‘‘એક યે બાત યાદ રખના ચાહિયે કે બાઝ ચીઝેં ખૂદ જાઈઝ વ મુસ્તહબ હોતી હે મગર કિસી આરઝી વજહસે વો ચીઝ બિદઅત હો જાતી હે. મસલન્ સજ્દએ શુક્ર જાઈઝ વ મુસ્તહબ હે. મગર નમાઝકે બાદ કરના બિદઅત હે. ઈસ લીએ કે જાહિલ–ગંવાર લોગ દેખકર ઈસ બાતકો સુન્નત વ વાજિબ એઅતિકાદ કર લેંગે ઓર જાઈઝ વ મુસ્તહબ ચીઝકો સુન્નત વ વાજિબ એઅતિકાદ કર લેના યે દીનકે અંદર ઝિયાદતી હે. તો પૂછવાનું એ કે સજ્દએ શુક્ર શું વસ્તુ છે અને તે કરવું જાઈઝ છે ?
જવાબ :– અલ્લાહ તઆલા તરફથી કોઈ બંદાને કોઈ માલ–અવલાદ અથવા બીજી કોઈ નેઅમત મળે અથવા કોઈ આફત–મુસીબત દૂર થાય તો તેનો શુક્ર અદા કરવા માટે સજ્દએ તિલાવતની જેમ જે સજદહ કરવામાં આવે તેને સજ્દએ શુક્ર કહેવામાં આવે છે. તકબીર કહી સજદહ કરવામાં આવે પછી તસ્બીહ અને હમ્દ પઢવામાં આવે. અન્ય કોઈ દુઆએ માષૂરહ (કુર્આન અને હદીસથી સાબિત હોય એવી દુઆ) પઢવામાં આવે અને પછી તકબીર કહી સજદહથી માથું ઉઠાવી સજદહ પૂરો કરવામાં આવે અને મજકૂર સજ્દએ શુક્ર કરવો જાઈઝ છે, પરંતુ જેમ મસ્અલો લખ્યો છે તેમ ફર્ઝ નમાઝ બાદ ન કરવામાં આવે અને તેને સુન્નત સમજવો પણ યોગ્ય નથી, કારણ કે તેના સુન્નત–મુસ્તહબ હોવામાં ફુકહાએ કિરામનો મતભેદ છે. (દુ. મુખ્તાર, શામી: ૧/પર૪)
(page number 65-66)
Log in or Register to save this content for later.