Chapter :
(Page : )
સવાલ :– હમણાં આઠમી લોકસભાનું ઈલેકશન થયું તેની કામગીરીમાં હું પણ રોકાયો હતો. ત્યારે લોકોના હાથ પર શાહીની નિશાની કરવામાં આવતી હતી, જેથી મારા હાથમાં શાહીના ડાઘા વધુ થઈ ગયા છે, તો શું આ ડાઘાઓ સાથે વુઝૂ થઈ શકે છે ? અને વુઝૂથી નમાઝ પઢી શકાય છે ?
જવાબ :– જો મજકૂર શાહીના ડાઘથી શાહીના ઘટ્ટ હોવાના કારણે હાથ ઉપર પડ જામી ગયું છે, જેમ ઓઈલ પ્રિન્ટથી જામી જાય છે અને તે પડના કારણે હાથની ચામડી સુધી પાણી પહોંચતું નથી. તો શાહીના ડાઘ બાકી રાખીને કરેલું વુઝૂ મોઅતબર નહિ ગણાય અને એવા વુઝૂથી જે નમાઝો પઢી હોય તે લોટાવવી જરૂરી છે અને જો શાહીના ડાઘથી પડ નથી જામ્યું બલ્કે મહેંદીના રંગની જેમ ફકત ચામડી રંગીન થઈ છે તો વુઝૂ થઈ જશે અને આવા ડાઘ સાથે વુઝૂ કરીને પઢેલી નમાઝો દુરુસ્ત ગણાશે. (‘શામી ૧/૧૦૪, ‘કબીરી ૪૮) (page 42 to 42)
Log in or Register to save this content for later.