જીવતા લોકોના કામોથી મુદૉઓને તકલીફ પહોંચે છે.

Chapter :

(Page : )

જીવતા લોકોના કામોથી મુદૉઓને તકલીફ પહોંચે છે

યાદ રહે કે જે પ્રમાણે દુનિયામાં એકબીજાથી રાહત અને તકલીફ પહોંચે છે એ જ પ્રમાંણે જીવતા લોકોના કરતુતોથી મુદૉઓને રાહત અને તકલીફ પહોંચે છે. જો કોઈ માણસ દુનિયામાં કોઈની ફરિયાદ કરે અથવા ગીબત કરે તો એ સાંભળીને એને દુ:ખ અને તકલીફ થાય છે એ… જ પ્રમાણે મુદૉઓની બુરાઈ વર્ણન કરવાથી (કબ્રમાં) એમને દુ:ખ થાય છે મુર્દોના હકકમાં જ્યારે કોઈ ભૂંડું બોલે છે તો અલ્લાહ તઆલાએ જે ફરિશ્તાઓ નક્કી કર્યાં છે. તેઓ એ બુરાઈ મુદૉઓને સંભળાવે છે જેનાથી એમને દુઃખ થાય છે. એટલા માટે હદીષ શરીફમાં મુદૉઑનું  ભૂંડું બોલવાથી રોકેલ છે, આદમીના માટે જરૂરી છે કે જયારે કોઈ મરણ પામે તો એની ખૂબીઑ-ભલાઈઓ વર્ણન કરે અને બુરાઈઓથી દૂર રહી એનું નામ ન લે.

∆ હઝરત આઈશહ (રદિ) થી રિવાયત છે કે રસુલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું ”’જે વસ્તુથી માણસ ને પોતાના ધરમાં તકલીફ થતી હતી તેજ વસ્તુ થી કબરમાં પણ તકલીફ થાય છે.

હઝરત આઈશહ (૨દિ.)થી રિવાયત છે કે, મેં આપ (સ.અ.વ.)થી સાંભળ્યું કે આપ ફરમાવતા હતા કે ‘મય્યતનું વર્ણન ભલાઈથી કરો જો તે જન્નતી છે અને તમો બુરાઈ કરશો તો તમે ગુનેહગાર થશો અને જો એ દોઝખી છે તો (તમારી બુરાઈ) એના (ગુનાહ માફ થવા) માટે પુરતી છે.

∆ હઝરત ઉકબહ ઈબ્ને આમિર (૨દિ.)થી રિવાયત છે કે, જો હુ…કોલસાની આગ ઉપર ચાલું અને તેજ ધારવાળી તલવાર પર ચાલું ( જેનાથી પગ દાઝી જાય અથવા કપાઈને)  નકામા થઈ જાય તો મને એ પસંદ છે પરંતુ કબ્ર ઉપર પગ મૂકવો પસંદ નથી.’

∆ હઝરત અમ્માર ઈબ્ને હઝમ (૨દિ.) કહે છે રસુલુલ્લાહ
(સ.અ.વ.)એ મને એક ક્બ્ર પર બેસેલો જોયો તો ફરમાવ્યુ  કબ્ર  પરથી ઉતરી જા અને મય્યિતને તકલીફ ન આપ કે જેથી તને પણ એ તકલીફ ન આપે એટલે તારા માટે બદદુઆ ન કરે.’

∆ હઝરત ઈબ્ને મસ્ઉદ (૨દિ.)થી રિવાયત છે કે, એમને કોઈએ પૂછ્યું ક્બ્ર ઉપર ચાલવું કેવું છે ? ફ્રમાવ્પું કે, જે પ્રમાણે ઝિંદગીમાં (કોઈ) મુસલમાનને તકલીફ આપવાને હું ખરાબ સમજુ છું એ જ પ્રમાણે મરવા પછી તકલીફ આપવાને પણ ખરાબ સમજું છું.’

∆ હઝરત ઈબ્ને અબી શયબહ (૨દિ.) , ફરમાવે  છે મુસલમાનને મરવા પછી તકલીફ દેવી એવું જ છે જેમકે ઝિંદગીમાં દુ:ખ આપવું.’

∆ હઝરત આઈશહ (રદિ.) થી રિવાયત છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે મુદૉ મય્યિતને ખરાબ ન કહો , બુરૂ ન બોલો , (કારણ કે) તે પોતાના ઠેકાણે ચાલ્યો ગયો.

∆ રિવાયત છે કે, હઝરત સલીમ (રહ) કોઈ કબ્રસ્તાનમાં ગયા (તે વેળા) એમને ખૂબ જોરથી પેશાબ લાગ્યો હતો. કોઈએ કહ્યું, ‘પહેલા પેશાબ કરી લો પછી ઝિયારત કરો,’ જવાબ આપ્યો, હું મુદૉઓથી એવો શર્માઉં છું જેવો જીવતાઓથી.’

આનાથી સાબિત થયું કે કબ્રસ્ત્તાનમાં પેશાબ અથવા જાજરૂ ન કરવું જોઈએ (કારણ કે) એનાથી મુદૉઓને તકલીફ થાય છે. (એવી રીતે કબ્રો ઉપર ઊભા રહેવું ચાલવું જાઈઝ નથી,  મય્યિતને તકલીફ થાય છે.

હવાલો [ ( નુરૂસ્સુદૂર ફી શહિલ કુબૂર ,લેખક મોલાના જલાલુદ્દીન સુયુતી (રહ.),  ગુજરાતી અનુવાદ :- મુફ્તી અહમદ બેમાત (રહ.)…] Log in or Register to save this content for later.