…. મુસલમાનો શું કરે.?

Chapter :

(Page : )

….. મુસલમાનો શું કરે.??

    ભારત દેશમાં હાલમાં હાલાત ધણાં નાજુક છે. દરેક જગ્યાએ નફરત અને ભેદભાવ નો માહોલ છે ભાઈચારાની દિવાળો તુટીને નફરત અને દુશ્મનીના પહાડો ઉભા થઇ ગયા છે.આ કડવા ફળ તે બીજો ( બિયારણ) ના છે જેને લગાવવામાં અલગ અલગ ધણી પાર્ટીઓએ ભાગ લીધેલ છે, જેમાં સૌથી મોટો ભાગ અંગ્રેજોએ ભજવેલ છે.

આજે જો બાબરી મસ્જિદ, રામ જન્મ ભૂમિ ,ત્રણ તલાક , સમલૈંગિકતા, સામાન્ય સમાનધારો, લાઉડસ્પીકર પર અઝાન જેવા મસાઈલ ઉભા કરીને દેશનુ વાતાવરણ તંગ કરવામાં આવી રહ્યું છે તો આથી અગાઉ ઈ.સ.૧૯૪૭ પહેલા અને ત્યાર પછી પણ સમયાંતરે કોઈ ન કોઈ પ્રદેશમાં કોઇ ને કોઇ મસાઈલ ઉભા કરીને વાતાવરણ તંગ કરવામાં આવ્યું હતું.

આવા ઉશ્કેરણીજનક વાતાવરણ પાછળ કયાં પરિબળો કામ કરતા આવી રહેલ છે ?( What’s the reason??) જો શાંત દિમાગે વિચારવા આવે તો ખબર પડશે કે લોકો જે પરિબળો ને કારણ બતાવી રહ્યા છે તે પોતે બીજા પરિબળો ના છુપાયેલા કારણોનું ઉદભવકેન્દ્ર છે.

હિન્દુ ભાઈઓ આમ માને છે કે તે સદીઓથી મુસલમાનો ના ગુલામ હતા, અને લાંબા સમય પછી તેમને આઝાદી મળી, ઈતિહાસ ની સત્યતા ભૂલાવીને તેમના દિમાગમાં આ વાત બેસાડવામાં આવી રહેલ છે કે મુસલમાન બાદશાહો એ જુલ્મ કરેલ છે, તલવાર ની શક્તિ થી ઈસ્લામ ધર્મ ફેલાવેલ છે, તેમણે મંદિરો તોડ્યા , મસ્જિદો બનાવી. તેમને આ વાત બતાવ્વામા આવે છે કે મુસલમાનો એ ઈસ્લામ અને મુસ્લિમ સમુદાય ના નામ પર એક આખો દેશ બનાવી લીધો, અખંડ ભારતમાંથી તેને કાપી  લઈ અલગ કરી લીધો હવે મુસલમાનો એ ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી, અને આ વાત પણ સમજાવવા માં આવી રહી છે કે જો હિન્દુ ધર્મ નું રક્ષણ કરવામાં ન આવ્યું , લધુમતી સમાજ ખાસ કરીને મુસલમાનો ને પ્રોત્સાહન મળતું રહ્યું તો કોઈક વખતે અમારા ઉપર આક્રમણ કરી મને વષૉની ગુલામી માં ધકેલી આપશે. મુસલમાનો મૂશરીકો (મુર્તિપૂજા કરનારા) ના ભારે દુશ્મન છે કુરાન તેમને પ્રોત્સાહિત કરે છે કે તમે મુશરીકોના માથા કાપી નાખો, અને ધરતી પર થી તેમને ખતમ કરી દો.

આવી રીતે હિન્દુઓને ગેરમાર્ગે દોરનાર ધણી બધી શાખાઓ છે, જેમણે રૂઢિચુસ્ત હિન્દુ ભાઈઓ માં પોતાના ધર્મ નું રક્ષણ માટે નો એક નવો જઝબો ભરી દીધો , મુસલમાનો થી નફરત અને દુશ્મની થી તેમનાં દિલ ભરી આપ્યા , ૧૯૪૭ પછી પોલીસ અને નવજવાનોનો આ પંઠ પર જ તરબિયત અને ઉછેર કરવામાં આવ્યો.છેવટે મુસલમાનો પર અત્યાચારો અને જુલ્મ કરી પોતાના માટે એક જીત અનુભવતા રહ્યા હતા અને હજુ વધારે અત્યાચારો કરી જીત અનુભવવાની ઉમ્મીદ માં જ છે.

મુસલમાનો હાલના સમયમાં કઈક આવા જ હાલાત માં જિવન  વિતાવી રહ્યા છે.કોઈક નાની ખુશીની વાત સાંભળે છે તો પોતાના જીવ ને શાંતિ આપવા માટે તેને વધારે વધારીને લોકો સમક્ષ રજુ કરે છે.કોઈ મંત્રી મુસલમાનો ના હિતમાં બયાન આપે તો તેને મુસલમાન તેના વખાણ કરવામાં લાગી જાય છે અને તેનાથી ઉમ્મીદો બાંધે છે તેની તરફેણમાં આખો ઉતરી જાય છે અને જો કદાચ કોઈ મંત્રી મો ફેરવી નાખે અને હિન્દુ ભાઈઓ ની તરફેણ માં કોઈ વાત કહી આપે તો મુસલમાન તેનાથી સંબંધ તોડી લે છે અને બીજા લીડરની તલાશમાં લાગી જાય છે.

મુસલમાન નવજવાન ઈચ્છે છે કે તે પણ આ મેદાન માં કુદીને જંગ કરે પણ તેને અસબાબ નથી મળી રહેતા, કોઈ સંસ્થા ની તાકાત નથી મળતી, મોટી ઉમરના લોકો પોલીસ અને સરકાર ના દમન અને મુસલમાન કૌમની મજલુમાના ઈતિહાસ નું વણૅન કરી હિકમતનો સબક સીખવાડે  છે, અમૂક દીનદાર લોકો વજાઈફ અને ખત્મે કુરાન ની પાબંદી કરેછે,ઉલમા અને મુકરીરો બયાનમાં સમજાવે છે કે જે કંઈ ધટના ધટી રહી છે તે આપણા જ આમાલના પરિણામો છે, અલ્લાહ ને રાજી કરો, મસ્જિદો ને આબાદ કરો,અને દિનની ફિક્ર કરો,તો અલ્લાહ પાક તરફથી ગૈબી મદદ આવશે.અમૂક જગ્યાએ નવજવાનો ટકકર લે છે પરંતુ છેવટે જેલમાં જાય છે પોલિસ ના દંડા ખાય  છે, અને માયુસ થઈ જાય છે લોકો ની જબાનો પર આ વાત નું રટણ રહે છે કે મુસલમાનો નો કોઈ લીડર (નેતા) નથી, કોઈ કહે છે ઉલમા એ કિરામે જિહાદ નો ફતવો આપી દેવો જોઈએ, કોઈ કહે છે ઉલમા ખુલીને સામે કેમ નથી આવતા? કોઈ અમનપસંદ  કહે છે કે બાબરી મસ્જિદ માટે કેટલાય લોકો ની મોત થઈ રહી છે સુલહ કેમ કરી લેવામાં ન આવે?!!!!!!!

આવા સખત અને પરેશાન કરનારા હાલાત માં મુસલમાન શું કરે.??? કયા ડોક્ટર ની મુલાકાત લઈ નુસખા પર અમલ કરે.????? અને મુસલમાન આર્થિક , સામાજિક, ધાર્મિક ક્ષેત્રે કયા કયા કાયૉ અને આમાલ કરે????

આ એક પ્રશ્ર્ન અને સવાલ છે જે એક ચોખ્ખો , લાભદાયક, અને મુસલમાન કૌમની તરક્કી માટે જવાબ માંગે છે……..

( જવાબ માટે વધુ આવતા અંકે……{ ક્રમશ:})

 

Log in or Register to save this content for later.