છેલ્લી તમન્ના

Chapter :

(Page : )

અતા બિન સાઈબ રહમતુલ્લાહી અલય્હી કહે છે કે અબુ અબ્દુર્રહમાન સુલ્લમીની બિમારી ઘણી વધી ગઈ. અમે તેમની મુલાકાત માટે ગયા. મસ્જીદમાં નમાઝ અદા કરવાની જગ્યા પર બેઠેલા હતા. સખત તકલીફમાં હતા. અચાનક ત્યાં જ એમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. અમે એમની જીંદગી વિશે ડરવા લાગ્યા. અમે કહ્યું કે ચાલો તમને તમારા બિસ્તર પર લ‌ઈ જ‌ઈએ જેથી તમને થોડો આરામ મળે. તેમણે રૂંધાતા શ્વાસ સાથે પોતાની જાતને સંભાળીને કહેવા લાગ્યા કે મને ફલાણા માણસે આ હદીસ સંભળાવી છે કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમે ફરમાવ્યું.

જ્યાં સુધી માણસ નમાઝના ઈન્તેજાર માં રહે છે તો તે નમાઝમાં જ ગણવામાં આવે છે. મારી તમન્ના છે કે મને આ હાલતમાં જ મોત આવે.

(ડૉક્ટર મુહંમદ અબ્દુર્રહમાન અરીફીની કિતાબ ઝીંદગીકી આખરી તસ્વીરેં)

Log in or Register to save this content for later.