સર હો તેરે કદમોમેં ઓર જાન નીકલ જાએ.

Chapter :

(Page : )

 

આમિર બિન અબ્દુલ્લાહ બિન ઝુબૈર રહમતુલ્લાહી અલય્હી મોતના બિસ્તર ઉપર છેલ્લા શ્વાસો ગણી રહ્યા હતા. ઘરના સભ્યો તેમની ચારેબાજુ હતાં. અચાનક તેમના કાનમાં મગરીબની અઝાનનો અવાજ પડ્યો. અહીં તેમનો શ્વાસ ગળામાં અટકેલો હતો. તકલીફ વધી રહી હતી.તેમણે પોતાના ફરતે ઉભા રહેલા લોકોને કહ્યું કે જરા મારો હાથ પકડો. લોકોએ પુછ્યું કે ક્યાં જવું છે? જવાબ આપ્યો કે મસ્જીદ માં જવું છે. લોકો હેરાન થઈ પુછવા લાગ્યા કે આ હાલતમાં પણ મસ્જીદ માં જશો? આમિર બિન અબ્દુલ્લાહે કહ્યું સુબ્હાનલ્લાહ ! મેં અઝાનનો અવાજ સાંભળ્યો છે. શું અઝાનનો જવાબ ન આપું એટલે કે નમાઝ ન પઢું? મારો હાથ પકડી ને મને મસ્જીદમાં લ‌ઈ જાવ. બે માણસો તેમને પકડીને મસ્જીદ માં લઇ ગયા.હજુ તો ઈમામ સાહબ સાથે નમાઝની એક રકાત જ અદા કરી અને સજદાની હાલતમાં ઈન્તેકાલ થઈ ગયો.

સર હો તેરે કદમોમેં ઓર જાન નીકલ જાએ.

(ડૉક્ટર મુહંમદ અબ્દુર્રહમાન અરીફીની કિતાબ ઝીંદગીકી આખરી તસ્વીરેં)

Log in or Register to save this content for later.