Chapter : નમાઝ
(Page : 229-230)
સવાલ :– અહિંયા ગાંધીધામ મધ્યે ભારત નગર ખાતે મદ્રસાનું મકાન છે, જેમાં પાંચ ટાઈમની નમાઝ થાય છે અને બાકીના સમયમાં બાળકોને દીની તાલીમ અપાય છે. ભારત નગર એ ગાંધીધામના એક પરા વિસ્તારમાં આવેલું છે અને મુસ્લિમોની આશરે ૧૦૦ ઘરોની વસ્તી છે. અમારો પ્રશ્ન આ છે કે ભારત નગરથી બે કિલોમીટરના અંતરે ગાંધીધામમાં સુંદરપૂરી મસ્જિદમાં જુમ્અહની નમાઝ થાય છે અને ભારત નગરના મુસ્લિમોને જુમ્અહ માટે ત્યાં જવું પડે છે. બીજી એક મોટી મસ્જિદ ભારત નગરથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલી છે, તેથી ઘણી જ અગવડ પડે છે. વળી, આ બંને મસ્જિદો બીજા ફિરકાવાળાઓની છે.
આ સંજોગોમાં અમારામાંથી ઘણાં ભાઈઓ અહીં ભારત નગરના મદ્રસાના મકાનમાં જુમ્અહની નમાઝ શરૂ થાય એમ ઈચ્છે છે, તો અહિંયા મદ્રસાના મકાનમાં જુમ્અહની નમાઝ અદા થઈ શકે કે નહિ ? તે બાબત ફતવો આપશોજી. (અબ્બાસ એમ. પટેલ, ગાંધીધામ, કચ્છ)
જવાબ :– જો ભારત નગરની આબાદી ગાંધીધામ શહેરમાં શામેલ હોય અને ભારત નગર અલગથી એક નાનું ગામ ન ગણાતું હોય તો મદ્રસાના મજકૂર મકાનમાં પાંચ નમાઝોની જેમ જુમ્અહની નમાઝ પઢવી પણ જાઈઝ છે, જુમ્અહની નમાઝ સહીહ થવા માટે મસ્જિદનું હોવું જરૂરી અને શર્ત નથી, પરંતુ જે આબાદીમાં જુમ્અહ પઢાય તેનું શહેર હોવું અથવા કસબો અને મોટું ગામ હોવું એ જરૂરી અને શર્ત છે. (‘શામી ૧)
Log in or Register to save this content for later.