Chapter : નમાઝ
(Page : 400)
સવાલ :– ઝોહરની ફર્ઝ નમાઝની જમાઅત શરૂ થતાં પહેલાં આપણે ચાર રકઆત સુન્નતે મુઅક્કદહ પઢતા હોય અને છેલ્લા કઅ્દહમાં બેસી અત્તહિય્યાત પઢતા હોય તે દરમ્યાન ઝોહરની જમાઅત શરૂ થઈ જાય, આ સૂરતમાં આપણે તકબીરે ઉલા પામવા માટે અત્તહિય્યાત પઢીને સલામ ફેરવીને જમાઅતમાં શરીક થઈ જઈએ તો આપણી સુન્નતે મુઅક્કદહ અદા થઈ જશે અને જો આપણે દુરૂદ શરીફ અને દુઆએ મઅ્ષૂરહ પઢીને જમાઅતમાં શરીક થઈએ અને તે વખતે ઈમામ સૂરએ ફાતિહા પૂરી પઢી ચૂક્યા હોય તો આ સૂરતમાં આપણને જમાઅતની તકબીરે ઉલા પામવાનો સવાબ મળશે અને આપણે સુન્નત કે નફલ નમાઝ પઢતા હોય અને ફર્ઝની જમાઅત શરૂ થઈ જાય તો આપણે માત્ર અત્તહિય્યાત પઢીને સલામ ફેરવી જમાઅતમાં શરીક થઈ જવું જોઈએ કે દુરૂદ શરીફ અને દુઆ પઢીને સલામ ફેરવ્યા પછી જમાઅતમાં શરીક થવું જોઈએ ?
જવાબ :– જો આપણે ફર્ઝ નમાઝની જમાઅત શરૂ થતાં પહેલાં કોઈ સુન્નત અથવા નફલ પઢતા હોય અને તેના આખરી કઅ્દહમાં બેઠા હોય અને અત્તહિય્યાત પઢતા હોય ત્યારે ફર્ઝ નમાઝની જમાઅત શરૂ થઈ જાય. લાંબુ દુરૂદ શરીફ અને મશહૂર દુઆએ મઅ્ષૂરહ પઢીને સલામ ફેરવી સુન્નત અને નફલ નમાઝ પૂરી કરવાથી જમાઅત છૂટી જવાનો ડર ન હોય બલ્કે જમાઅતની પહેલી રકઆત છૂટવાનો પણ ડર ન હોય તો પણ સુન્નત અને નફલ નમાઝ ટૂંકાવીને ફર્ઝ નમાઝની જમાઅતમાં જલ્દી શરીક થવું જોઈએ અને તે માટે સુન્નત અને નફલના કઅ્દહમાં મુખ્તસર દુરૂદ શરીફ અને મુખ્તસર દુઆ પઢી સલામ ફેરવીને જમાઅતની નમાઝમાં શરીક થવું જોઈએ. ફક્ત અત્તહિય્યાત પૂરું કરી સલામ ફેરવીને જમાઅતમાં શરીક થઈએ તો પણ સુન્નત અને નફલ નમાઝ સહીહ તૌર પર અદા તો થઈ જશે, પરંતુ મુખ્તસર દુરૂદ અને દુઆ પઢી લેવી જોઈએ તાકે સુન્નત અને નફલ નમાઝની મજકૂર સુન્નતો છૂટવા ન પામે.
જે નમાઝી જમાઅતની નમાઝની પહેલી રકઅતમાં ઈમામની ઈક્તિદા શરૂ કરી આપશે તેને તકબીરે ઉલાનો સવાબ અને ફઝીલત પ્રાપ્ત થયેલી ગણાશે. (શામી ૧/૩પ૩, આલમગીરી ૧/૬૯)
Log in or Register to save this content for later.